Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો તા. ૧૦ સુધીમાં રજૂ કરવા

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર જિલ્લા કક્ષાએ આગામી તા. ૨૮-૮-૨૦૨૫ના રોજ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યકર્મ'નું આયોજન કરવમાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો આગામી તા. ૧૦-૮-૨૫ સુધીમાં કલેકટર કચેરીમાં રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે અત્રે જણાવેલ તમામ પ્રકારના મુદ્દાની ખાસ નોંધ લેવાની રહેશે.

જે અન્વયે, લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા. અગાઉ રજૂ કરાયેલો પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો તે પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખીને બે નકલ સાથે રજૂ કરવો. પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કે અરજી કરનારનું નામ, પુરૃં સરનામું, ફોન નંબર, પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી હોવા જોઈએ. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં. સુનિશ્ચિત તારીખ વીત્યા પછીની, અસંદિગ્ધ, અસ્પષ્ટ રજૂઆતવાળી એક કરતા વધુ કચેરી કે વિભાગના પ્રશ્નો હોય, સુવાચ્ય ન હોય, નામ સરનામા વગરની, વ્યક્તિગત આક્ષેપોવાળી, અરજદારનું હિત સંકળાયેલ ન હોય, કોર્ટ મેટર, આંતરીક તકરાર અને સેવાને લાગતી અરજી પર કોઈપણ કાર્યવાહી થઈ શકશે નહીં.

આ તમામ બાબતોની સર્વે અરજદારોએ નોંધ લેવા માટે નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh