Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષ દ્વારા નોંધાવાઈ ફરિયાદઃ
જામનગર તા. ૩૧: કલ્યાણપુરના લાંબામાં ઘોડાની બાબતે સોમવારે સાંજે કેટલાક વ્યક્તિઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. આ હુમલામાં છ વ્યક્તિને ઈજા થઈ હતી.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં વસવાટ કરતા પરબતભાઈ લખાભાઈ ગોજીયા નામના ખેડૂતનો ઘોડો નિલેશ જેઠાભાઈ બાબરીયા નામના શખ્સે પકડી લીધો હતો. તે ઘોડો આપી દેવા માટે સોમવારે પરબતભાઈ સમજાવટ કરવા ગયા ત્યારે નિલેશ ઉપરાંત સંજય બાબુ, અજય બાબુ, વિજય બાબુ બાબરીયાએ ઝઘડો કરી લાકડીઓથી હુમલો કરી પરબતભાઈ અને અન્ય વ્યક્તિઓને માર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
તે ફરિયાદની સામે સંજય પાલાભાઈએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ નિલેશ તથા અન્ય વ્યક્તિ સોમવારે સાંજે પોતાના ઘર પાસે ઉભા હતા ત્યારે ત્યાંથી ઘોડો લઈ નીકળેલા પરબતે ધરાર તે બાજુ ઘોડો ચલાવતા તેને જોઈને ચલાવવાનું કહ્યા પછી માથાકૂટ થઈ હતી અને લાકડીઓ વડે દિવ્યેશ પરબત ગોજીયા, પાર્થ બાવાજી, પરબત ગોજીયા, એક અજાણ્યા શખ્સે હુમલો કરી માર મારવા ઉપરાંત સંજયને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાે હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial