Advertisement
Author: નોબત સમાચાર

કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા પ સપ્ટેમ્બરે દ્વારકા જિલ્લા પ્રવાસે

ખંભાળીયા-શિવા-પાનવડમાં કાર્યક્રમોઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયાઃ તા. ૩: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા તા. ૫-૯-૨૫ના એકદિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મંત્રી મૂળુભાઈ બેરા તા. ૫-૯-૨૫ના સવારે ૯ કલાકે ટાઉનહોલ ખંભાળીયા માં 'શિક્ષક દિન' નિમિત્તે આયોજિત સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ મંત્રી આહિર સમાજ, શિવામાં જિલ્લા કક્ષાના ૭૬મા વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ અભિલાષા સંકુલ, વાનાવડમાં 'એક પેડ માં કે નામ ૨.૦' અંતર્ગત વૃક્ષા રોપણ કરશે. ત્યાર બાદ ભાણવડ પી.એમ.સી. ની બાજુમાં સામાજિક વનીકરણ રેન્જ ઓફિસ, ભાણવડના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh