Advertisement
Author: નોબત સમાચાર

બે ચોરાઉ બાઈક સાથે બે શખ્સની અટકાયત

એક આરોપી હત્યાના ગુન્હામાં પેરોલ પર છૂટ્યો છેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના સમર્પણ સર્કલ પાસેથી બે શખ્સને એલસીબીએ બે ચોરાઉ બાઈક સાથે પકડી લીધા છે. એક શખ્સ અન્ય જિલ્લાના હત્યા કેસમાં સજા ભોગવતી વેળાએ પેરોલ પર મુક્ત થઈ વાહનચોરીના ગુન્હામાં સંડોવાયો છે. બંને વાહન કબજે કરી આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. જામનગરના સમર્પણ સર્કલ પાસે શનિવારે એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સમર્પણ સર્કલથી બેડીબંદર તરફના રોડ પર એક પાર્ટી પ્લોટ નજીક બે શખ્સ ચોરાઉ મોટરસાયકલ સાથે આવ્યા હોવાની બાતમી યુવરાજસિંહ, હિતેન્દ્રસિંહ, કાસમભાઈને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી વોચ રખાઈ હતી.

તે દરમિયાન ગાંધીનગરમાં રહેતો તેજસ શાંતિલાલ પંડયા તથા ધરારનગરમાં રહેતો રાજુ રામભાઈ કોડીયાતર ઉર્ફે રાજીયો બરેલો નામના બે શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સો પાસેથી બે બાઈક કબજે થયા છે. બંને બાઈક ચોરાઉ હોવાનું ખૂલ્યું છે. તેજસ પંડયા સામે જામનગર ઉપરાંત દાહોદ, બોટાદ, અમરેલી, ગિર સોમનાથમાં કુલ ૧૧ ગુન્હા અને રાજુ કોડીયાતર સામે જામનગરમાં પાંચ ગુન્હા નોંધાયા છે. જેમાં તેજસ બોટાદના એક હત્યા કેસમાં દસ વર્ષની સજા ભોગવતી વેળાએ પેરોલ પર મુક્ત થઈ બે વાહનની ચોરીમાં સંડોવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh