Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના ખામનાથ મંદિરે સામૂહિક શ્રમદાન

નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા.૮: સ્વચ્છતા હિ સેવા અભિયાન ભાગરૂપે ખંભાળિયા નગરપાલિકા દ્વારા ખંભાળિયા શહેરના ખામનાથ મહાદેવ મંદિરમાં સામૂહિક શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ખંભાળિયા નગરપાલિકાના કારોબારી ચેરમેન  રેખાબેન ખેતિયા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપસચિવ(ફાયર) રણવીરસિંહ જેતાવત, પ્રાદેશિક કમિશનર કચેરી રાજકોટ ઝોનના કાર્યપાલક ઇજનેર હર્ષભાઈ ગોહેલ, દેવભૂમિ દ્વારકા મયુરભાઈ ગઢવી, ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલકુમાર કરમુર, અગ્રણી સર્વે મિલનભાઈ કીરતસાતા,  વિષ્ણુભાઈ પતાણી સહિત નગરપાલિકા સદસ્યો, ચૂંટાયેલા અધ્યક્ષો અને નગરપાલિકા સ્ટાફ ગણ આ કાર્યક્રમમાં હાજર રહીને શ્રમદાન કરવામાં આવેલ. ત્યારબાદ ખંભાળિયા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો માટે મેડીકલ હેલ્થ ચેકઅપનો કાર્યક્રમનું નગરપાલિકાના યોગ કેન્દ્રમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સફાઈ કામદારોને પીપીઈ કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh