Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના આસામીને વીજ કંપનીએ આપેલા તોતિંગ બીલ સામે ફોરમમાં ધા

ભરપાઈ થયેલી રકમ મજરે આપવા પણ આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: લાલપુરના એક આસામીને ૧૦ મહિના પહેલાં રૂા.૧૧ લાખનંુ તોતિંગ બીલ વીજ કંપની દ્વારા આપવામાં આવ્યું હતું. તે બીલ સામે ગ્રાહક ફોરમમાં ધા નાખવામાં આવતા ભરપાઈ કરેલી અડધી રકમ મજરે આપવા, વીજજોડાણ ન કાપવા, બીલમાં સુધારો કરવા આદેશ કરાયો છે.

લાલપુરની ઓમ સોસાયટીમાં વસવાટ કરતા ભીખુભા ટપુભા જાડેજાને ડિસેમ્બર ૨૦૨૪માં વીજ કંપની દ્વારા રૂા.૧૧,૨૯,૪૫૩નું બીલ આપવામાં આવ્યું હતું. દૂધનો વ્યવસાય કરતા આ આસામીએ વીજ અધિકારીનો સંપર્ક કરતા તમારે ત્યાં સોલાર સિસ્ટમ લગાડાઈ છે ત્યારથી અમારા મીટર રીડરની ભૂલથી ઓછા રીડીંગનું બીલ બનાવાતું હતું અને હવે બે વર્ષનું બીલ આપવામાં આવ્યું છે તેમ જણાવાયંુ હતું.

બીલ ભરપાઈ અન્યથા જોડાણ કાપી નાખવાનું કહેવાતા ભીખુભાએ જામનગર ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી અને બીલની અડધી રકમ જમા કરાવી હતી. તે પછી વીજ કંપનીના એમઆરઆઈ ડાટાના સમયને ધયાને વપરાશી યુનિટ તેમજ આકારણીની પુનઃ વિચારણા કરવા તથા બીલ સુધારણા કરવા બે મહિનામાં નિર્ણય લેવા હુકમ કરી ગ્રાહક ફોરમે ભરપાઈ થયેલી રકમ આગામી બીલમાં મજરે આપવા અને ફરિયાદીનું વીજ જોડાણ ન કાપવા મનાઈહુકમ ફરમાવ્યો છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી તેમજ નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh