Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજેતાઓ પુરસ્કૃતઃ
જામનગર તા. ૧૭: જામનગર શહેરમાં ભાવસાર યુવા મહિલા ગ્રુપ તથા આસ્થા ફાઉન્ડેશન દ્વારા ગત્ તા. ૭ ના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીમાં વેલકમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવસાર સમાજ યુવા મહિલા ગ્રુપના પ્રમુખ નિકિતા કુંવરિયા તેમજ ઉપપ્રમુખ પૂજા રૂપાપરા અને ખજાનચી આરતી માલસાતરની ટીમ દ્વારા આ વેલકમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવસાર જ્ઞાતિના અનેક ડાંડિયા ખેલૈયાઓ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાયા હતાં, અને અનેક સ્પર્ધા સાથેનો દાંડિયા રાસ કાર્યક્રમ યોજાયો હતો.
આ વેલકમ નવરાત્રિ મહોત્સવમાં ભાવસાર સમાજના તમામ અગ્રણી હોદ્દેદારો, વિદ્યોતેજક મંડળના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ દોશી, શહેર ભાજપના ગિરીશભાઈ અમેથિયા, ભાજપના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, હર્ષાબા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય બિમલભાઈ સોનછાત્રા, ઉપરાંત શહેર ભાજપના પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, ભાવેશભાઈ કોઠારી, રાજેશભાઈ નાનાણી, વિજયસિંહ ગોહિલ, મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજા ઉપરાંત શહેરના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં, અને વેલકમ નવરાત્રિ મહોત્સવના પ્રારંભે તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ઉપરાંત તમામ મહેમાનો પણ વિજેતા ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા હતાં. ત્યારપછી વિજેતા ખેલૈયાઓ માટેનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં તમામ અગ્રણીઓના હસ્તે ઈનામ વિતરણ કરાયું હતું.
વેલકમ નવરાત્રિ મહોત્સવનું સમગ્ર આયોજન ભાવસાર સમાજ યુવા મહિલા ગ્રુપ નિકિતા કુંવરિયા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ડાંડિયારાસની તમામ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મિતેશભાઈ મહેતા, મનિષાબેન મહેતા, કવિતાબેન ગજ્જર, શિલ્પાબેન પીઠડિયા અને રેખાબેન વ્યાસ વિગેરેએ સેવા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial