Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના બજાણામાં કૂવામાં ખાબકી ગયેલા યુવાનના મૃતદેહને બહાર કઢાયો

જામનગર, ખંભાળિયા ફાયરબ્રિગેડ ટીમ દોડીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તાલુકાના બજાણા ગામમાં આવેલા એક ખેતરમાં કોઈ વ્યક્તિ પડી ગયો હોવાની જાણકારી ખંભાળિયા ફાયરબ્રિગેડને આપવામાં આવ્યા પછી જામનગરથી પણ ફાયરબ્રિગેડની ટીમ નિમેષ પ્રજાપતિ સહિતના ફાયરના જવાનો સાથે બજાણા ધસી ગઈ હતી. ત્યાં આવેલા કૂવામાં સીડી ઉતારી ફાયરના જવાનોએ શરૂ કરેલી શોધખોળમાં અંદરથી રામશીભાઈ માલદેભાઈ વાવણોટીયા (ઉ.વ.૩૬) નામના યુવાન મળી આવ્યા હતા. આ યુવાનને બહાર કાઢી લેવાયા પછી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકના પરિવારનો સંપર્ક કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh