Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખંડ રામધૂનની ગૂંજ વચ્ચે શ્રી રામ જન્મોત્સવની ઉજવણીઃ
'છોટીકાશી' જામનગરમાં તળાવની પાળે આવેલ તથા શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી બાલાહનુમાન સંકીર્તન મંદિરે રામનવમી પર્વની શ્રદ્ધા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનને આજે વિશેષ શ્રૃંગાર અર્પણ કરવામાં આવ્યા હતાં તથા સવારથી ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરે જોવા મળ્યો હતો. રામનવમી પર્વ પર પરંપરાગત રીતે મધ્યાહ્ન સમયે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તથા મહાઆરતી અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા હતાં. અખંડ રામધૂનની ગૂંજ વચ્ચે રામનવમી પર્વની ઉજવણીથી ભક્તો ધન્ય થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial