Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે વૃક્ષારોપણ અને વોલ ટુ વોલ રોડ થશે

સરકારે પ્રાથમિક ધોરણે ર૦ કરોડ ફાળવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં પ્રદૂષણનું પ્રમાણ દિવસે ને દિવસે સતત વધી રહ્યું છે. હવામાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા સરકારે ચોક્કસ પ્લાન ઘડી કાઢ્યો છે. જેની પ્રાથમિક અમલવારી માટે રૂ. ર૦ કરોડ આપવાની સરકારે સહમતિ આપી છે. આ આયોજન હેઠળ વિવિધ કામો હાથ ધરવામાં આવશે, જો કે આ કામગીરીથી કેટલું પ્રદૂષણ ઘટે છે તે તો આવનાર સમય જ કહેશે. આ દરખાસ્તને ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીએ મંજુરી આપી છે.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની ગઈકાલે બેઠક યળી હતી, જેમાં જામનગર સિટી ક્લીન એર એક્શન પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેમાં ઘટાડો કરવા સરકારે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેની જામનગરમાં અમલવારી કરવામાં આવનાર છે.

આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ માટે પ્રાથમિક ધોરણે રૂ. ર૦ કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી જામનગરની હવા શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવનાર છે.

આ પ્રોજેક્ટ અન્વયે જામનગરમાં વોલ ટુ વોલ રોડ બનાવવામાં આવશે. વૃક્ષારોપણ કરવામાં આવશે. ઉપરાંત શહેરમાં હવાની શુદ્ધતા માપવાના મશીન મૂકવામાં આવશે.

આમ સરકાર એમ માને છે કે, વોલ ટુ વોલ રોડ બનાવવાથી હવા શુદ્ધ બનશે. બાકી અગાઉ પણ વોલ ટુ વોલ રોડ બનાવાયા જ છે તથા વૃક્ષારોપણના પણ અનેક કાર્યક્રમો થયા છે.

આમ છતાં પ્રદૂષણ ઘટાડા અન્વયે જામનગરમાં કાર્યવાહી થશે જે આવકાર્ય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh