Advertisement
Author: નોબત સમાચાર

અગાઉની માથાકૂટના સમાધાન માટે બોલાવી બે યુવાન પર ટોળુ વિફર્યું

અગિયાર શખ્સ સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર પાસે હિમાલય સોસાયટીમાં અગાઉના મનદુખના સમાધાન માટે બોલાવવામાં આવતા યુવાન તથા તેની સાથે ગયેલા મિત્ર પર ત્રણ શખ્સ અને આઠ અજાણ્યા શખ્સે હુમલો કરી માર માર્યાે હતો.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર ડીફેન્સ કોલોનીમાં રહેતા બાબુભાઈ દેવાભાઈ કનારા તથા તેમના મિત્ર ભાવેશ પરબતભાઈ માડમ પર ગઈકાલે બપોરે ખોડિયાર કોલોની નજીકની હિમાલય સોસાયટીની શેરી નં.રમાં આઠ શખ્સે હુમલો કર્યાે હતો. અગાઉ ભાવેશ પરબતભાઈને કોઈ બાબતે સુનિલ ભાટીયા નામના શખ્સ સાથે મનદુખ થયું હતું. તે માથાકૂટના સમાધાન માટે ગઈકાલે ભાવેશને બોલાવવામાં આવતા ભાવેશ અને તેની સાથે બાબુભાઈ કનારા ગયા હતા. ત્યાં હાજર સુનિલ ભાટીયા, મયુર ભાટીયા તથા દર્શન ભાટીયાએ સમાધાનની વાતચીત વચ્ચે અચાનક હલ્લો કર્યાે હતો.

હુમલાખોરમાંથી સુનિલે પાઈપ વડે બાબુભાઈને કપાળમાં ઈજા પહોંચાડી હતી અને ભાવેશને ગાળો ભાંડી માર માર્યાે હતો. ત્યારે જ આઠ અજાણ્યા શખ્સ પણ ધસી આવ્યા હતા અને તેઓએ બાબુભાઈ તથા ભાવેશને લમધારી નાખ્યા હતા. ત્યારપછી સુનિલે ફોન કરીને ધમકી પણ આપી હતી. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh