Advertisement
Author: નોબત સમાચાર

અગાઉની માથાકૂટનો ખાર રાખી કુરંગામાં પિતા-પુત્ર પર ત્રણ શખ્સનો જીવલેણ હુમલો

વૃદ્ધના હાથ તથા પગ ભાંગી નખાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: દ્વારકા નજીક કુરંગામાં અગાઉની માથાકૂટનો ખાર રાખી મંગળવારની સાંજે પિતા-પુત્ર પર બે બાઈકમાં ધસી આવેલા ત્રણ શખ્સે લાકડી-પાઈપથી હુમલો કર્યાે હતો. ગંભીર ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડાયા છે. પોલીસે પુત્રની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા તાલુકાના કુરંગા ગામના જેસલભાઈ અરજણભાઈ વારસાકીયા નામના યુવાનને ત્રણેક મહિના પહેલાં નાગુભાઈ વારસાકીયા સાથે કોઈ બાબતે માથાકૂટ થયા પછી બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતનો ખાર રાખી મંગળવારે સાંજે જેસલભાઈને બે બાઈકમાં ધસી આવેલા ત્રણ શખ્સે રોકી લીધા હતા. તે પછી નાગુભાઈ વારસાકીયા, અજુ ઘેલાભાઈ અને રામુ ઘેલાભાઈ વારસાકીયાએ પાઈપ-લાકડીથી હુમલો કરી માર માર્યાે હતો અને જેસલભાઈના પિતા અરજણભાઈને પણ જીવલેણ ઈજા પહોંચાડી હતી. હાથ તથા પગ ભાંગી તથા અરજણભાઈને સારવારમાં ખસેડાયા છે. જેસલભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh