Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામોરની સીમમાં મૂળ સુરતના યુવાને દવા પી કરી આત્મહત્યાઃ
જામનગર તા. ૧૭: ખંભાળિયાના ભરાણા ગામમાં એક યુવાને તાવ તથા માથાના સામાન્ય દુખાવાથી અને કમળાની અસર થઈ જવાના કારણે કંટાળી જઈ ઝેરી દવા પી જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે સામોર ગામની સીમમાં એક ખેતરમાં કામ કરવા માટે આવેલા મૂળ સુરત જિલ્લાના યુવાને અકળ કારણથી ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી છે. ઉપરાંત ખંભાળિયા શહેરમાં એક યુવાને અગમ્ય કારણસર કમરપટાથી ગળાફાંસો ખાઈ મોત ગળે લગાડી લીધુ છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ શરૂ કરી છે.
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના નવાપાડામાં વસવાટ કરતા દીપકભાઈ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.ર૦) નામના યુવાનને છેલ્લા એકાદ મહિનાથી તાવ આવવાની સાથે માથું દુખતું રહેતું હતું અને કમળાની અસર થઈ જવા પામી હતી. સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા દીપકભાઈએ શનિવારે રાત્રે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા કાનજીભાઈ કારાભાઈ ચાવડાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
ખંભાળિયા તાલુકાના સામોર ગામની સીમમાં રહેતા મૂળ સુરતના કામરેજ તાલુકાના સેવણી ગામના વતની વિશાલભાઈ પ્રકાશભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) નામના યુવાને ગઈકાલે સવારે પ્રવીણભાઈ નગાભાઈ નામના ખેડૂતના ખેતરમાં આવેલા ઝૂંપડામાં કોઈ અગમ્ય કારણથી ઝેરી દવા પી લીધી હતી. ટૂંકી સારવારના અંતે વિશાલભાઈનું મૃત્યુ થયું છે. તેમના પિતા પ્રકાશભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા શહેરમાં રહેતા રવિભાઈ પરબતભાઈ ઉર્ફે પબાભાઈ જોડ (ઉ.વ.ર૮) નામના યુવાને ગઈકાલે સવારે દસેક વાગ્યા પછી પોતાના ઘરમાં પંખાના હુંકમાં કમરપટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ સાંજે ચારેક વાગ્યે પરિવારજનોને થઈ હતી. આ યુવાનનંુ શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. અશ્વિનભાઈ કારાભાઈ જોડે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial