Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મેળાની સફળતા માટે શાંત, સમજુ, સહનશીલ જનતાને ધન્યવાદ

                                                                                                                                                                                                      

જામનગરના લોકમેળો અદાલતમાં થયેલા કેસના કારણે ૧૦ ઓગસ્ટના બદલે ૧પ ઓગસ્ટે શરૂ થયો

અડધા પ્રદર્શન મેદાનમાં જિલ્લા કક્ષાનું એસ.ટી. બસ સ્ટેન્ડ ધમધમતું હોવાના કારણે મીડિયામાં અને જાગૃત લોકોમાં સુચારૂ અને સલામતિના ધોરણો સાથે આયોજન થાય તે અંગે અનેક સવાલો-સૂચનો થયા, પણ કમનસીબે આયોજક મનપા તંત્ર દ્વારા તે અંગે કોઈ સત્તાવાર ખુલાસા થયા જ નહીં... બીનસત્તાવારરીતે કોઈ-કોઈ અહેવાલો જાહેર થયા.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ છેક ૧૪ મી ઓગસ્ટે બપોર પછી એસ.ટી. બસોના આવાગમનના માર્ગો પર વાહનોની અવરજવર-પ્રવેશબંધી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું... તો મેળાની રાઈડ્સ વાળાઓને તો મેળાના ઉદ્ઘાટન સમયે ૧પ મી ઓગસ્ટે પરફોર્મન્સ લાયસન્સ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મેળાના પરિસરમાં પ્રદર્શન મેદાનમાં અડધો ભાગ જ ફાળવાયેલો હોવાથી ભારે ભીડ જામી હતી, તેમ છતાં એસ.ટી. બસ સ્ટેશનમાં બસોના આવાગમનમાં કોઈ મોટી સમસ્યા સર્જાઈ ન હતી. એટલું જ નહીં, પ્રદર્શન ગ્રાઉન્ડને સાંકળતા જાહેર માર્ગો પર તેમજ પ્રવેશબંધીના માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા જોવા ન મળી. એટલું જ નહીં, સાતમ, આઠમ, નોમ અને દસમ (સોમવાર) ના મોટા મેળાના દિવસો દરમિયાન પણ પોલીસ વિભાગે માત્ર થોડા થોડા સમયગાળા માટે જ વાહનોની પ્રવેશબંધી કરવી પડી હતી. અર્થાત્ વાહન વ્યવહાર મોટેભાગે રાબેતામુજબ જોવા મળ્યો હતો. (બીજા અર્થમાં મેળામાં આવનારા લોકોની સંખ્યા અગાઉના વર્ષોની સરખામણીમાં અને અપેક્ષા કરતા ઘણી ઓછી જોવા મળી હતી.)

લોકમેળામાં રાઈડ્સવાળા, ખાણી-પીણીના સ્ટોલવાળા, રમકડાવાળાઓના ધંધા સારા ચાલ્યા અને ખોટ જાય તેવી સ્થિતિમાં કમાણી કરી હોવાનો સંતોષ વ્યક્ત થતો જોવા મળ્યો હતો.

સમગ્ર મેળાના આયોજન નિર્વિઘ્ને અને સફળતાપૂર્વક સંપન્ન થયું તે માટે જામનગરની શાંત, સમજુ અને સહનશીલ પ્રજાનો ઉત્સવપ્રેમ જવાબદાર છે અને એબોવ ઓલ પ્રદર્શન મેદાનમાં તેમજ મેળાના રસ્તાઓ, શહેરના મુખ્ય માર્ગો, ટ્રાફિક પોઈન્ટ ઉપર ટ્રાફિક વ્યવસ્થાનું સુચારૂ સંચાલન કરતા શહેરીજનોને મેળાના દિવસો દરમિયાન અવરજવરમાં કોઈ મોટી મુશ્કેલી પડી ન હતી. જામનગરની જનતાએ બાળકો, પરિવાર સાથે સ્વયંભૂ શિસ્ત સાથે મેળાનો ભરપૂર આનંદ માણ્યો તે બાબત જામનગરની જનતાનો ઉત્સવપ્રેમ અને લાક્ષણિક્તા દર્શાવે છે.

સૌથી મહત્ત્વનો મુદ્દો સામે એ આવ્યો છે કે, આ વર્ષે તો અડધા પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો હેમખેમ યોજાયો, પણ આગામી વર્ષોમાં લોકમેળાના સુચારૂ-સલામત આયોજન માટે શહેરની આસપાસ વિશાળ મેદાનનો વિકલ્પ અત્યારથી જ સુનિશ્ચિત કરવો જોઈએ. જોઈએ આગામી વર્ષે તો મનપાનું નવું ચૂંટાયેલુ બોર્ડ... નવા પદાધિકારીઓ આવશે ત્યારે યોગ્ય મેદાન-સ્થળની શોધ તેમના માટે એક પડકાર બની રહેશે....!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh