Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસી ગયેલા બે શખ્સ પકડાઈ ગયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના બે આસામીને ગયા વર્ષે નોંધાયેલા ચેક પરતના કેસમાં અદાલતે સજા ફટકારી હતી ત્યારથી બંને શખ્સ નાસતા ફરતા હતા. આ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. જામનગરના સરદાર નગરમાં રહેતા ડાયાભાઈ રત્નાભાઈ કણઝારીયા તથા મહાદેવનગરમાં રહેતા વેરશીભાઈ માણશીભાઈ વાચા નામના બે શખ્સને ગયા વર્ષે નોંધાયેલા ચેક પરતના કેસમાં સજા ફટકારાઈ હતી. ઉપરોક્ત હુકમ પછી બંને આરોપી નાસતા ફરતા હતા. આ આરોપીઓને સિટી સી ડિવિઝનના પીઆઈ એન.બી. ડાભીની સૂચનાથી પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે પકડી પાડી જેલહવાલે કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh