Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોરબંદરના ધરમપુરના શખ્સ સાથે મળી આવ્યાઃ
જામનગર તા. ૧૫: જામનગરના ગ્રામ્ય પંથકમાં રહેતા એક પરિણીતા સવા વર્ષ પહેલાં પોતાના ઘરેથી માવતરે જવાનું કહીને નીકળ્યા પછી ત્રણ વર્ષની પુત્રી સાથે લાપત્તા બની ગયા હતા. પોલીસને તેની જાણ કરાતા તપાસ શરૂ કરાઈ હતી. જેમાં પોલીસે આ મહિલા તથા તેની પુત્રીના સગડ મળ્યા છે. આ બંને વ્યક્તિ પોરબંદર જિલ્લાના ધરમપુરના શખ્સ સાથે હતા.
જામનગર તાલુકાના વાગડીયા ગામ નજીક વસવાટ કરતા એક પરિવારના ત્રીસ વર્ષના પરિણીતા પોતાની ત્રણ વર્ષની પુત્રીને સાથે રાખી ગઈ તા.૧૩ જુન ૨૦૨૪ની સવારે સાતેક વાગ્યે માવતરે જવાનંુ કહીને નીકળ્યા હતા. આ પરિણીતા એસટી ડેપોએ ગયા પછી ગુમ થઈ ગયા હતા.
પોતાની પરણેતર સાસરે નહી પહોંચ્યાની જાણ થતાં પતિએ તપાસ શરૂ કરાવી હતી. તેમ છતાં પત્તો લાગ્યો ન હતો તેથી પોલીસને જાણ કરાઈ હતી. સિટી એ ડિવિઝન પોલીસે ગુમનોંધ તૈયાર કરી આ પરિણીતાની શોધખોળ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન આ મહિલા પોરબંદર જિલ્લાના ધરમપુર ગામના પાટીયા પાસે આવ્યા હોવાની વિગત મળતા પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી સિટી એ ડિવિઝનનો સર્વેલન્સ સ્ટાફ ત્યાં ધસી ગયો હતો પરંતુ તે મહિલા મળ્યા ન હતા. આમ છએક વખત ધરમપુર સુધી પોલીસને દોટ મૂકવી પડી હતી. તેમ છતાં આ મહિલા અને તેમની પુત્રી મળતા ન હતા ત્યારપછી ફરીથી આ મહિલા ધરમપુરમાં આવ્યા હોવાની વિગત મળતા પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પોલીસ ટીમ ધસી ગઈ હતી અને આ વખતે તે મહિલા પોતાની ત્રણ વર્ષની પુત્રી સાથે રણમલ ગજસુર સુમાત સાથે મળી આવ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial