Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ૧૦ પ્રશ્નો ઉકેલાયા

પ્રજાના પ્રશ્નો પરત્વે સમયમર્યાદા જાળવવા તંત્રને તાકીદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫ઃ કલેકટર કેતન ઠકકરના અધ્યક્ષ સ્થાને ધ્રોલમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ ૧૦ અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. કલેકટરે લોકોની રજુઆતોને સહૃદયતાથી સાંભળી અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ધ્રોલ પ્રાંત અધિકારીની કચેરીના મીટીંગ હોલમાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. તથા રજૂઆત કરવા આવેલા લોકોની રજુઆતો પણ સહ્ય્દયતાથી સાંભળી કલેકટરે સમય મર્યાદામાં કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલા તમામ ૧૦ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. આ પ્રશ્નોમાં રી-સર્વે પ્રમોલગેશન બાદની ક્ષતિઓ સુધારવા બાબત, પાઈપલાઈનની મંજુરી આપવા અંગે, દબાણ દુર કરવા, સીસી રોડ બનાવવા અંગે, રસ્તા રીપેરીંગ અંગે, સ્ટ્રીટ લાઈટ, ઉકરડાની સફાઈ, વરસાદી પાણીના નિકાલ અંગે તથા કૂવા બોરની નોંધણી અંગેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. જેનું નિવારણ આવતા અરજદારોએ કલેકટરનો તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

કલેકટર સાથે આ કાર્યક્રમમાં ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે સહીત લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh