Advertisement
Author: નોબત સમાચાર

ખરાબ હવામાનના કારણે દરિયો ન ખેડવાની સરકારી સુચનાનો સરકાર દ્વારા જ થયો ભંગ

રવિવારની રાત્રે માછીમારી માટે ટોકન ઈસ્યુ!:

                                                                                                                                                                                                      

ઓખા તા. ૨૭: ઓખાના માછીમારોને દરિયામાં જવાની પરવાનગી આપતું ઓનલાઈન ટોકન ગઈકાલે રાત્રે ઈસ્યુ થયું છે. જેના પગલે સરકારની સૂચનાનો સરકાર દ્વારા જ ભંગ થતો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

હાલમાં સર્જાયેલા ખરાબ હવામાનના કારણે ગુજરાતભરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દરિયાકાંઠે એલર્ટ રાખવામાં આવી રહ્યું છે. આમ છતાં માછીમારી માટે બોટ સંચાલકોને દરિયામાં જવા માટે પરવાનગી આપતું ઓનલાઈન ટોકન ઈસ્યુ કરવામાં આવતું હોવાથી સરકારની કામગીરીમાં વિસંગતતા જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે હવામાન બગડ્યું છે અને દરિયાઈકાંઠાઓને એલર્ટ રાખવામાં આવી રહ્યા છે. ઓખાના દરિયા પર ત્રણ નંબરનું ભયજનક સીગ્નલ લગાડવામાં આવ્યું છે અને કોસ્ટગાર્ડ દ્વારા પણ માછીમારોને દરિયામાં ન જવા તાકીદ કરાઈ રહી છે તેવી પરિસ્થિતિમાં રવિવારે રાત્રે ઓખામાં ઓનલાઈન ટોકન ઈસ્યુ થતા આશ્ચર્ય પ્રસર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh