Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ મહત્ત્વના પ્રોજેક્ટને પૂર્ણ કર્યોઃ
જામનગર તા. ૧૧: જામનગર શહેરને લગભગ રર વર્ષથી મંજુર થયેલો રસ્તો યેનકેન પ્રકારે આકાર પામ્યો ન હતો, પરંતુ મ્યુ. કમિશનર ડી.એન. મોદીએ આ મહત્ત્વના પ્રોજેક્ટને હાથ ઉપર લઈને સાત રસ્તા સુધી પહોંચી શકાય તેવો સાતમો રસ્તો ઝડપથી બનાવવા નિર્ધાર કર્યો છે. આ ઉપરાંત તળાવની પાળ ગેઈટ નં. ૧ જુની ખડપીઠ મેદાનથી જુની આરટીઓ ઓફિસ સુધી લગભગ ૧ કિ.મી.ની લંબાઈવાળો રસ્તો પણ તેની સાથે જ ફોરલેન રોડ ગઈકાલે રાત્રે ૯ વાગ્યે ખુલ્લો મૂકાયો હતો, અને જુની આરટીઓ ઓફિસથી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધીનો રોડ પણ ખૂલ્લો મૂકાયો છે.
આ બન્ને રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો અને રોડ ડિવાડીરો પણ મૂકાઈ ચૂક્યા છે, જ્યારે ફૂટપાથ સહિતનું નિર્માણ કાર્ય પણ હાથ ધરી લેવાયું છે. નગરના બન્ને નવા સીસી રોડની ભેટ મળી ગઈ હોવાથી ઉપરોક્ત વિસ્તાર માટેનો ટ્રાફિક ઘણો હળવો થઈ જશે, અને લોકોને ત્યાંથી અવરજવર કરવી પણ સહેલી બની જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial