Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતર માલિકે કરેલી અરજી નકારી કઢાઈઃ
જામનગર તા. ૧૨ઃ જામજોધપુર પંથકમાં એક ખેતરમાં શેઢે વીજ પ્રવાહ વહેતો મૂકવાનું કામ કરવા ગયેલા એક શ્રમિકનું વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું હતું. ખેતર માલિક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. ખેતર માલિકે આ ગુન્હામાં ધરપકડ ટાળવા આગોતરા જામીન અરજી કરી હતી. અદાલતે તે અરજી નકારી કાઢી છે.
જામજોધપુર પંથકમાં ખેતર ધરાવતા અશોકભાઈ બેચરભાઈ સંતોકી ઉર્ફે સીદાબાપાના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મેહુલ નામના શ્રમિકને ખેતરના શેઢે ઈલેકટ્રીક શોર્ટ વહેતો મૂકવા માટે ગઈ તા.ર૬ના દિને સીદાબાપાએ આવી જવાનું કહેતા મેહુલ ખેતરે ગયો હતો.
તે પછી બીજા દિવસે સવારે મેહુલ સીદાબાપાના ખેતરના શેઢા પાસેથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. દવાખાને લઈ જવાયેલા આ યુવાનનું વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું હતું. રામસિંગ ભુરીયા નામના શ્રમિકે સીદાબાપા ઉર્ફે અશોકભાઈ સંતોકી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુન્હામાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી આશંકાથી આરોપી અશોકભાઈ સંતોકીએ આગોતરા જામીન મેળવવા જામનગરની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આ અરજી નકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial