Advertisement
Author: નોબત સમાચાર

રેલવે પ્રોજેકટોના પી.એમ. દ્વારા લોકાર્પણ પ્રસંગે જામનગર રેલવે સ્ટેશને સાંસદની ઉપસ્થિતિમાં કાર્યક્રમ

આવતકાલે કાનાલુસ-જામનગર ડબલીંગ સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: કાનાલુસ- જામનગર વચ્ચે ૨૭ કિમીના રેલ માર્ગે રૂ।. ૧૫૭ કરોડના ખર્ચે ડબલીંગનું કામ પૂર્ણ થયું છે. આમ હવે આ માર્ગ પર બે ટ્રેક ઉપલબ્ધ થયા છે.

જેમાંથી ટ્રેનોના સંચાલનમાં વિલંબ ઘટશે. મુસાફરોને સમયસર ટ્રેન મળશે. અને મુસાફરી વધુ આરામદાયક બનશે. માલગાડીની ગતિમાં વધારો થવાથી વેપારને પણ લાભ થશે. આ પ્રોજેકટ જામનગર અને આજુબાજુના વિસ્તારમાં વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. અને ભવિષ્યમાં નવી ટ્રેનો દોડાવવા માટે પણ સહાયક સાબીત થશે.

ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહેલ આ મુજબની પહેલ દેશના અંતિમ છેડા સુધી કનેકટીવીટી સુનિશ્ચિત કરીને સૌનો સાથ સૌનો વિકાસના સિદ્ધાંતને સાકાર કરે છે. આ પ્રોજેટસ રાજ્યના સમગ્ર વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપશે. તથા ભારતને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશકત બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબીત થશે.

પ્રધાન મંત્રી દ્વારા આ પ્રોજેકટસનું ઉદ્ઘાટન વચ્યુઅલ માધ્યમથી આવતીકાલ તા. ૩૧ ના કરશે.

જામનગર રેલવે સ્ટેશને કાર્યક્રમ

આવતીકાલ મંગળવાર તા. ૩૧ના કાનાલુસ- જામનગર વચ્ચે ડબલીંગનું કામ પૂર્ણ થતા તેનુ વચ્યુઅલી લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે.

ત્યારે જામનગરના રેલવે સ્ટેશન પાસે પણ આ બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય રિવાબા જાડેજા, ડીઆરએમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જ્યા પ્રધાનમંત્રીના કાર્યક્રમ લાઈવ નિહાળવાામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh