Advertisement
Author: નોબત સમાચાર

પ્રસુતી વેળાએ વધુ પડતો રક્તસ્ત્રાવ થઈ જતાં પરપ્રાંતીય મહિલાનું નિપજ્યું મૃત્યુ

કલ્યાણપુરના મેવાસામાં અરેરાટી પ્રસરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: કલ્યાણપુરના મેવાસા ગામની સીમમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા પરપ્રાંતીય મહિલાને પ્રસુતી વેળાએ વધુ પડતો રક્તસ્ત્રાવ થયા પછી તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામની સીમમાં આવેલા મુન્નાભાઈ ચાવડા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના વતની અર્જુનભાઈ લચ્છાભાઈ ચૌહાણ નામના શ્રમિકના પત્ની પરમંતીબેનને દોઢેક મહિના પહેલાં પ્રસુતી થઈ હતી.

આ વેળાએ તે મહિલાને વધુ પડતો રક્તસ્ત્રાવ થઈ જતા લોહીનું પ્રમાણ ઘટી ગયું હતું તેની સારવાર આપવામાં આવતી હતી. તે દરમિયાન મંગળવારે રાત્રે ફરીથી રક્તસ્ત્રાવના કારણે લોહીનું પ્રમાણ ઘટતા તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે પરમંતીબેનનું મૃત્યુ થયું છે. પતિ અર્જુનભાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh