Advertisement
Author: નોબત સમાચાર

નાગનાથ નાકા પાસે ખાનગી બસની ઠોકરે ચઢી ગયેલા સ્કૂટરના ચાલકને ઈજા

પગની ઘુંટીમાં ફ્રેક્ચર થઈ જતાં સારવારમાં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના નાગનાથ નાકા સર્કલ પાસે ગયા મંગળવારે સાંજે એક સ્કૂટરને ખાનગી બસે ઠોકર મારતા સ્કૂટરચાલકને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટીની શેરી નં.૧માં રહેતા અને સેલ્સમેન તરીકે કામ કરતા પાર્થ નરોત્તમભાઈ રાઠોડ નામના યુવાન ગયા મંગળવારે સાંજે નાગનાથ નાકા નજીક નવા બનેલા પુલ પાસેથી જીજે-૩-ઈએચ ૬૩૨૬ નંબરના સ્કૂટરમાં જતા હતા.

આ વેળાએ જીજે-૩૬-ટી ૯૩૧૫ નંબરની ખાનગી બસે ઠોકર મારી પાર્થ રાઠોડને પછાડતા આ યુવાનના પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. બસના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh