Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ઉતારી લીધેલા ૮૩પ જાહેરાતના પાટિયા સહિત
જામનગર તા. ૭: જામનગરમાં આડેધડ અને મંજુરી વગર લગાવાઈ રહેલા જાહેરાતના હોર્ડિંગ્સ-કિયોસ્ક વિગેરેને ઉતરાવી લેવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ગઈકાલે સવાઆઠસોથી વધુ બોર્ડ ઉતરાયા હતાં.
જામનગરમાં તહેવારોમાં ધંધાર્થીઓ દ્વારા જાહેરાત ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે, ત્યારે શહેરમાં અનેક વિસ્તારોમાં જેવા કે ખોડિયાર કોલોની રોડ, પટેલ કોલોની રોડ, રણજીતસાગર રોડ સહિતના વિસ્તારોના વીજપોલમાં આડેધડ જાહેરાતના હોર્ડિંગ્સ, કિયોસ્ક લગાવી દેવાયા હતાં. આ બાબત ધ્યાનમાં આવતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે આવા ગેરકાયદે અને મંજુરી મેળવ્યા વગર લટકાવી દેવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ, કિઓસ્કને ઉતારી લીધા હતાં, અને કબજે કર્યા હતાં. ગઈકાલે દિવસ દરમિયાન કુલ ૮૩પ બોર્ડ-કિયોસ્ક ઉતારવામાં આવ્યા હતાં, જ્યારે છેલ્લા ચાર દિવસમાં ર૦રપ પાટિયા ઉતરાયા છે. આજે પણ આ કાર્યવાહી ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial