Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧,૦૪,૪૧૯નો દંડ ભરવા આદેશઃ
જામનગર તા. ૨૫: જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની સજા તેમજ રૂ.૧ લાખ ઉપરાંતની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ વિશાલ પરસોત્તમભાઈ પ્રાગડાએ સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો.
ત્યારપછી ચેક મુજબની રકમ ભરપાઈ ન કરાતા નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ-૧૩૮ હેઠળ વિશાલ પ્રાગડા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોર્ટમાં હાજર થયા ન હતા.
તે કેસ ચાલવા પર આવતા સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ, ફરિયાદી પક્ષના પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈ આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની જેલસજા અને રૂ.૧,૦૪,૪૧૯નો દંડ ફટકારાયો છે. આરોપી ગેરહાજર હોવાથી વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફે વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, હરજીવન ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial