Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં કાળી ચૌદશની રાત્રે યુવાન પર છરીથી હુમલો થયા પછી સારવારમાં મૃત્યુ

હુમલાનો બનાવ હત્યામાં પલટાઈ ગયોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૭: ખંભાળિયાથી પોરબંદર વચ્ચેના રોડ પર આવેલી એક દરગાહ પાસે પાનની દુકાનમાં નોકરી કરતા એક યુવાન પર ગઈ તા.૧૯ની રાત્રે છરીથી હુમલો થયો હતો. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાંથી પોરબંદર તરફ જવાના ધોરીમાર્ગ પર આવેલા ઘસરીયા પીરની દરગાહ સામેના ભાગમાં આવેલી પાનની એક દુકાનમાં કામ કરતા પચ્ચીસ વર્ષના અમન નામના યુવાન પર કાળી ચૌદશની રાત્રે હુમલો થયો હતો.

અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી એક શખ્સે છરી વડે હુમલો કરી અમનને ગંભીર ઈજા પહોંચાડી હતી. લોહીલુહાણ બની ગયેલા આ યુવાનને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સારવાર દરમિયાન અમન અબ્દુલ નામના આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેથી હુમલાનો આ બનાવ હત્યામાં પલટાઈ ગયો છે. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh