Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકો હસ્તકની ગૌશાળાઓમાં ગાયોને ૨૦૦૦ લાડુ અને ૨૫૦૦ રોટલી ખવડાવાઈઃ પ્રેરણાદાયી દૃષ્ટાંત

કેર ફોર હ્યુમિનિટી-ફાઉન્ડેશન દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર શહેરમાં પશુ નિયંત્રણ પોલિસીની અમલવારી કરવાના અનુસંધાને મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી અને  નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ભટકતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, આ પશુઓને મ.ન.પા હસ્તકની અલગ અલગ ત્રણ ગૌશાળાઓમાં રાખવામાં આવે છે. દરમિયાન ગઈ તા. ૦૩.૦૮.૨૦૨૫ અને રવિવારના જામનગર મહાનગરપાલિકા હસ્તકની હાપા ગૌશાળામાં  કેર ફોર હૃાુમીનિટી ફાઉન્ડેશન દ્વારા ૨૦૦૦ લાડુ તથા ૨૫૦૦ રોટલી ગાયોને ખવડાવીને શહેરીજનોને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડયું છે. આ ઉમદા કાર્ય, શહેરના લોકોને જાહેરમાં ઘાસચારો ન નાખવા અને આ પ્રકારનું દાન-પુણ્ય કાર્ય કરવા પ્રેરણા આપે છે. આથી શહેરીજનોને જાહેર રોડ રસ્તા પર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવી છે, અને જો ઘાસચારો કે અન્ય પ્રકારે દાન-પુણ્ય કરવું હોય તો જેએમસી કનેકટ એપ મારફત દાન આપવા અથવા મ.ન.પા. હસ્તકની ગૌશાળાઓમાં રૂબરૂ દાન આપવા જામનગર મહાનગરપાલિકા અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh