Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાડૂતે મકાન માલિક સામે શરૂ કર્યાે છે કાનૂની જંગઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક મકાનમાં ભાડેથી રહેતા આસામીએ મકાન માલિક સામે અદાલતનો આશરો લીધા પછી તે જગ્યા બળજબરીથી ખાલી કરાવવામાં ન આવે તે માટે વચગાળાના મનાઈહુકમની કરેલી માગણી રદ્દ થતાં અપીલ નોંધાવી હતી. ઉપરની અદાલતે પણ નીચેની અદાલતનો હુકમ યથાવત રાખ્યો છે.
જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલી ન્યુ દિગ્વિજય સ્કૂલ નજીક વલ્લભ નિવાસવાળી જગ્યામાં અગાઉ ભાડૂત તરીકે અરવિંદરાય હિમતલાલ શેઠ નામના વ્યક્તિ રહેતા હતા. તેઓના નિધન પછી તેમના પુત્ર તુષારે કોર્ટમાં કાયમી મનાઈહુકમ તથા ડેકલેરેશન માટે દાવો કર્યાે હતો અને જણાવ્યું હતું. કે, પાંચેક દાયકાથી અમે તેમાં ભાડૂત તરીકે રહેલા છીએ. અમારો તેના પર કબજો છે. તે દરમિયાન વચગાળાની કામચલાઉ મનાઈહુકમની અરજી પણ કરી તુષારે પ્રતિવાદી તે જગ્યાનો બળજબરીથી કબજો છીનવે નહીં તેવી પણ માગ કરી હતી.
તે અન્વયે મકાન માલિક નીખિલ જયંતિલાલ નાખવા હાજર થયા હતા અને તેઓએ આ અરજી પૈસા પડાવવાના હેતુથી કરાઈ છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, આ જગ્યા અગાઉ રાજીખુશીથી કરી આપવામાં આવી હતી અને મકાન માલિકને તેનો કબજો સોંપાયો હતો. તે પછી કોર્ટ કમિશનર દ્વારા પંચનામુ કરાતા ભાડુતી જગ્યાનું તાળુ પણ પ્રતિવાદીએ ખોલ્યું હતું. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી વચગાળાના કામચલાઉ મનાઈહુકમની અરજી રદ્દ કરી હતી. તેની સામે ભાડૂઆતે અપીલ નોંધાવી હતી. તે અપીલ પણ રદ્દ કરાઈ છે. મકાન માલિક તરફથી વકીલ જીતેન્દ્ર નાખવા, સંજુ નાખવા, કેતન નાખવા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial