Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ઘી ડેમ પાસેનો સોળ વર્ષ જૂનો રસ્તાનો પ્રશ્ન ઉકેલાયોઃ આનંદની લાગણી

આગાઉના વરસોના ન.પા.ના પદાધિકારીઓની નિષ્ક્રીયતા કારણભૂત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં પોલીસ સ્ટેશન કુંભારવાડાથી ઘી ડેમ પર જતા રસ્તા પર ડેમના ઓવરફ્લોના પાણી ફરી વળતા હોય, પુલ ધોવાઈ ગયો હતો અને રસ્તા પર પાણી ફરી વળતા હોય લોકોને ગામમાં આવવા જવા માટે પાંચ કિ.મી. નો લાંબો ફેરો કરવો પડતો હતો. આ પ્રશ્ન છેલ્લા ૧૬-૧૬ વર્ષથી હોવા છતાં ન.પા.ના પધાધિકારીઓ નિષ્ક્રિય રહ્યા હતા. જો કે, હવે આ પ્રશ્ને નગરપાલિકાના ઈજનેરે ખાસ આયોજન કરી ૧૬ વર્ષ જુનો આ પ્રશ્ન હલ કર્યો છે. ઘી ડેમ પર પાલિકાના કામની સાથે ઈજનેર નંદાણીયાએ પાલિકાની જુની પાઈપો, લોખંડ વિગેરેનો ઉપયોગ કરીને ખૂબ ઓછા ખર્ચમાં નીચે થી મોટા પાઈપમાં પાણી નીકળી જાય અને ઉપર આખા પુલની જગ્યાવાળા રસ્તા પર નવો સી.સી.રોડ બનાવતા હવે અતિભારે વરસાદ સિવાય રસ્તો ગામમાં જવાનો ચાલુ રહે તેવું થઈ જતા ઘી ડેમ પાસે વર્ષોથી રહેતા ગરીબ ઝુપડપટ્ટી વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh