જામનગર તા. ૧૯ઃ તાજેતરમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં. ૧૧ મા શિવનગર સોસાયટીમાં અંદાજીત ૪.પ લાખના ખર્ચે બનનાર સી.સી. રોડ, વોર્ડ નં. ૮ મા માધવબાગ-૧ મા માધેશ્વર મંદિરના કોમન પ્લોટમાં અંદાજીત પ લાખના ખર્ચે સી.સી. બ્લોક નાંખવાના કાર્યનું તથા વોર્ડ નં. ૮ મા સરદારનગરમાં અંદાજીત ૧૬.૮૦ લાખના ખર્ચે બનનાર સી.સી. રોડનું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, ભાજપ અગ્રણી વિમલભાઈ કગથરા, શહેરના વિવિધ વોર્ડોના કોર્પોરેટરો તથા સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.